મને છેલ્લા ચાર મહિના થી ચામડી નો રોગ થયેલો છે જેમાં આખા શરીર પર કોઈ પણ જગ્યા એ લીસોટા પડી જાય છે અને ઉપસી આવે છે જે 2 મિનિટ જેવું રહે છે પછી બીજી જગ્યા એ એજ પ્રકાર નું થાય છે અને રાત્રી ના સમયે વધુ થાય છે અને ખંજવાળ આખા શરીર માં ગમેં તે જગ્યા એ આવે છે.
જવાબ –
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને શીળસની તકલીફ થઇ છે અને ખાસ કરીને તમે એલર્જીની દવા લો ત્યા સુધી તેમાં ફાયદો લાગે અને પછી તેમાં તમને તકલીફ શરૂ થઇ જાય.
આપની આ તકલીફનો કાયમી ઇલાજ માટે આયુર્વેદિક દવા જ ફાયદો આપશે, તેથી આપ નજીકમાં આયુર્વેદિક ડોક્ટર પાસે પણ સારવાર કરાવી શકો છો.
નીચે પ્રમાણે ના ઔષધો આપ 1-2 મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. હરિદ્રાખંડ ટેબલેટ બે ગોળી બે વાર જમ્યા પછી.
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો...